નવસારી તા. 5 ફેબ્રુઆરી 2016ગુજરાતના નવસારીમાં પુર્ણા નદી પર બનેલા પુલ પરથી એક સરકારી બસ નદીમાં પડી ગઇ છે. આ અકસ્માતમાં 25થી વધુ લોકોના મોત નીપજ્યાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત સમયે બસમાં 60 લોકો સવાર હતા. ઘટના સ્થળ પર ગણદેવી, નવસારી અને વલસાડની રેસક્યુ ટીમ પહોંચી ચૂક્યાં છે. મુસાફરોની રાહત અને બચાવ કામગીરી ચાલું છે.પ્રાથમિક અહેવાલ અનુસાર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસ નવસારીથી ઉકાઇ જઇ રહી હતી. ત્યારે નવસારીથી દસ કિલોમીટરના અંતરે આવેલા સુપા ગામે આ ઘટના બની. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તમામ ઘાયલોને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.કહેવામાં આવે છે કે નદીમાં પાણી વધારે છે પાણીના વેણ પણ તેજ છે જેના કારણે રાહત કામમાં મુશ્કેલી આવી રહી છે. અક્સમાતના સમાચાર મળતા જ પોલી અને અમબ્યુલેન્સની કેટલીય ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટના વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.